fbpx

Batrisu Ladu Katalu

900.001,800.00

બત્રીસુ શું છે ?
પ્રસૂતા માટે આપણે ત્યાં ઘરની વડીલ સ્ત્રીઓ ખાસ પ્રકારનો ‘પાક’ બનાવતી. આ ‘પાક’ એ જ બત્રીસુ. આ લાડુંમાં વપરાતી ઔષધીઓ પ્રસૂતાના અને બાળકના સ્વાસ્થ્ય ખૂબ જ મદદરૂપ થતી હોય છે.

Clear
Compare
SKU: N/A Categories: , , , Tags: ,

|| બત્રીસુ લાડું વિશે…||

પ્રસૂતાના આહારમાં કાળજી :
ગર્ભના પોષણ અને વિકાસમાં સ્ત્રીની ઘણી શક્તિ ખર્ચાઈ ગઈ હોય છે. આ ઉપરાંત પ્રસવ સમયની પીડા, એ સમયે સ્ત્રી દ્વારા કરવું પડતું જોર, એ સમયે થયેલ રક્તસ્ત્રાવ વગેરેને કારણે સ્ત્રી અતિસય નાજુક અને ક્ષીણ થઈ જાય છે. આ અવસ્થામાં સ્ત્રીને કોઈ રોગ થાય તો એને દૂર કરવો મુશ્કેલ થઈ જાય છે. વળી, બાળક માતાના દૂધ પર જ ઉછરતું હોવાથી માતાના આહારમાં ખાસ કાળજી લેવી જરૂરી છે.

બત્રીસુ શું છે ?
પ્રસૂતા માટે આપણે ત્યાં ઘરની વડીલ સ્ત્રીઓ ખાસ પ્રકારનો ‘પાક’ બનાવતી. આ ‘પાક’ એ જ બત્રીસુ. આ લાડુંમાં વપરાતી ઔષધીઓ પ્રસૂતાના અને બાળકના સ્વાસ્થ્ય ખૂબ જ મદદરૂપ થતી હોય છે.

બત્રીસુ ખાવાના ફાયદા :
● ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભસ્થશિશુનું પોષણ થતા ગર્ભાશયનું પ્રસારણ થાય છે અને પ્રસુતિ પછી ગર્ભાશયનું સંકોચન થાય છે. આ પ્રસારણ અને સંકોચનના કારણે ખાલી જગ્યામાં વાયુનો ભરાવો થાય છે. આને કારણે સ્ત્રીને વાયુના દુખાવા થાય છે જેના કારણે સ્ત્રીને લાંબો સમય એનાથી પીડાવું પડે છે. આ લાડુમાં એવી ઔષધિઓનો ઉપયોગ થાય છે જે વાયુનું શમન કરે છે. એટલે શરીરમાં વાયુનું બેલેન્સ થાય છે.
● ચયા-પચયની પ્રક્રિયાને (metabolism) ફરીથી જીવંત કરવામાં મદદરૂપ થાય છે.
● પેટના ભાગની ચામડી ઢીલી પડી ગઈ હોય તે નોર્મલ થાય છે.
● લોહીને શુદ્ધ કરે છે.
● ગર્ભાવસ્થા દરમિયાન શરીરમાં લોહીનું પરિભ્રમણ વધારે પ્રમાણમાં થાય છે તેના કારણે કિડનીને વધારે પ્રમાણમાં કામ કરવું પડે છે. આ વસાણામાં કિડનીને સાફ કરીને તેને પુનઃ જીવનદાન આપનારી સંજીવનીનો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે.
● પ્રસૂતિ પછી બાળકનું પોષણ માતાના દૂધ દ્વારા થાય છે. આ સમયે બાળકને જરૂરી એવા વિટામીન્સ, મિનરલ્સ અને ખનીજક્ષારો આ ઔષધિઓ દ્વારા પૂરતા પ્રમાણમા મળી રહે છે.
● માતાને દૂધ પણ પૂરતાં પ્રમાણમા આવવામાં મદદરૂપ થાય છે.
● પ્રસૂતિ સમયે યોનિમાં ઘણા ફેરફારો થાય છે. આવા નાજુક અવયવને પોતાની મૂળ સ્થિતિમાં લાવીને સેક્સ લાઈફને નોર્મલ બનાવવામાં મદદરૂપ થાય છે.

આ લાડુંના ઉપયોગ અંગે…
● આ બત્રીસુ લાડુ પ્રસૂતા સ્ત્રી બાળકને સ્તનપાન કરાવતી હોય ત્યાં સુધી દરરોજ 1-2 લાડુનું સેવન કરી શકે છે.
● આમ તો આ લાડુંનું સેવન દરેક વ્યક્તિ માટે સ્વસ્થયવર્ધક છે. ખાસ કરીને વાયુ પ્રકૃતિની વ્યક્તિને વિશેષ ઉપયોગી છે.

આ લાડુમાં શું શું છે ?
ઓર્ગેનિક ઘઉંનો કરકરો લોટ, કેમિકલ વિનાનો દેશી ગોળ, દેશી ગાયનું વલોણાનું ઘી, બદામ, કાજુ, ગુંદ, સૂંઠ, પીપરમૂળ સહિત અન્ય બત્રીસ ઔષધિઓ…

અમે શા માટે આ લાડું બનાવીએ છીએ :
આમ તો આ લાડું ઘરે પણ બની જ શકે છે. પણ, ઘણી વાર બધી જ ઔષધીઓ ના મળવાના કારણે જે હાજર હોય એનાથી કામ ચલાવી લેવામાં આવે છે. અને એમાં જરૂરી સામંગ્રી લોટ, ગોળ અને દેશી ગાયનું ઘી આ બધુ શુદ્ધ અને ઓર્ગેનિક શોધવું પણ અઘરું થતું હોય છે. અને આજની વ્યસ્ત જીવનશૈલીના કારણે ક્યારેક આવો સમય પણ નથી મળતો.

આથી અમે વિચાર્યું કે આપણે આ બધી સાંમગ્રી ભેગી કરીએ અને શુદ્ધ અને ઔષધીઓથી ભરપૂર એવાં લાડું બનાવીએ જેથી ઘણી બધી માતાઓ અને બાળકોને આનો લાભ મળે.

આ લાડું અમે સવારના સમયમાં ભક્તિમય વાતાવરણમાં બનાવીએ છીએ. કહેવાય છે ને કે રસોયમાં સ્વાદ ફક્ત મસાલાનો નથી હોતો. એમાં ભાવ ભળે તો જ એના સ્વાદમાં સોડમ અને તૃપ્તિ અનુભવાય છે. અમે આ બાબતનું ખાસ ધ્યાન રાખીએ છીએ. આ બનાવતી વખતે અમારા મનમાં માતાઓ અને બાળકોના સ્વસ્થ જીવન માટેનો પ્રાર્થનાભર્યો ભાવ હોય છે. કારણકે આખરે આ લાડુંનો હેતુ જ એ છે કે માતા અને બાળકને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય.

બત્રીસુ લાડું નિર્માતા : દીક્ષિતા કૌશિક શેઠ
કિંમત અને વજન
₹900/- (725gm)
₹1800/- (1500gm / 1.5kg)

Additional information

Weight

,

Manufacturer

Dixita Kaushik sheth

Be the first to review “Batrisu Ladu Katalu”

Your email address will not be published. Required fields are marked *

Reviews

There are no reviews yet.

Main Menu

batrisu laadu

Batrisu Ladu Katalu

900.001,800.00

Add to Cart